પ્રીતિ ઝિન્ટાએ તેના ચાહકોની માફી કેમ માંગી? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

Preity Zinta: ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ વચ્ચે ચાલી રહેલી પંજાબ અને દિલ્હીની મેચ અધવચ્ચે રોકી દેવામાં આવી હતી. પ્રીતિ ઝિન્ટાએ સ્ટેડિયમમાં રહેલા દર્શકોને શાંતિ જાળવવા અને શાંતિથી સ્ટેડિયમની બહાર નીકળવા વિનંતી કરી. તેમણે પોતાની પોસ્ટ શેર કરતી વખતે માફી પણ માંગી છે.
Punjab Kings co-owner Preity Zinta apologises to fans for curt behaviour at Dharamshala stadium after IPL match was called off.#IPL2025 #PunjabKings #PreityZinta #CricketTwitter pic.twitter.com/mD0vuW6Zqw
— InsideSport (@InsideSportIND) May 11, 2025
આ પણ વાંચો: IPL 2025 મુલતવી રાખવાથી RCBને સૌથી મોટો ફાયદો થયો
પ્રીતિએ માફી કેમ માંગી?
હવે પ્રીતિ ઝિન્ટાએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું કે હવે ઘરે પાછી આવી ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોની અંધાધૂંધી પછી રાહત અનુભવી રહી છે. પોતાની પોસ્ટમાં, તેમણે ધર્મશાળા સ્ટેડિયમમાં હાજર દર્શકોનો આભાર માન્યો અને લખ્યું, તમારા બધાનો આભાર. તમે ભાગદોડ મચાવી નહીં. માફ કરશો મેં ફોટા પાડવાની ના પાડી, પણ તે સમયે સૌથી મહત્વની વાત એ હતી કે બધા સુરક્ષિત રહે. તમારી સમજ બદલ આભાર.