PM Modi at Bageshwar Dham: PM મોદીએ બાગેશ્વર ધામ કેન્સર હોસ્પિટલનો કર્યો શિલાન્યાસ

PM Modi at Bageshwar Dham: PM નરેન્દ્ર મોદી આજે બપોરે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં, બાલાજી મંદિરમાં દર્શન અને પ્રાર્થના બાદ તેમણે કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ તેમની સાથે હાજર હતા. બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. પીએમ મોદી બપોરે 2 વાગ્યે અહીં પહોંચ્યા હતા અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમનું સ્વાગત કર્યું. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને બાલાજી મંદિર લઈ ગયા. અહીં પીએમ મોદીએ પૂજા કરી અને ફૂલો પણ અર્પણ કર્યા.
आदरणीय प्रधानमंत्री @narendramodi जी के साथ आज बागेश्वर धाम कैंसर हॉस्पिटल के भूमि पूजन में ….#bageshwardham pic.twitter.com/AbrsjFrgpb
— बागेश्वर बाबा (@BageshwarBaba_) February 23, 2025
અહીંથી પીએમ મોદી સીધા સ્ટેજ પર ગયા. જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના માટે સ્વાગત પ્રવચન આપ્યું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે થોડા શબ્દો કહ્યા. આ પછી, પીએમ મોદીએ બટન દબાવીને ‘બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’નો શિલાન્યાસ કર્યો.
#WATCH | | Chhattarpur, Madhya Pradesh | PM Narendra Modi lays the foundation stone of Bageshwar Dham Medical and Science Research Institute for Cancer in Chhattarpur.
The Cancer Hospital, worth over Rs 200 crore, will offer free treatment to underprivileged cancer patients,… pic.twitter.com/GuZVsenPx9
— ANI (@ANI) February 23, 2025
PMએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ‘નાના ભાઈ’ કહ્યા
પીએમ મોદીએ કહ્યું, ‘મારા નાના ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને જાગૃત કરતા રહે છે.’ એકતાનો મંત્ર પણ આપે છે. હવે તેણે બીજો સંકલ્પ લીધો છે. આ કેન્સર હોસ્પિટલ બનાવવાની જવાબદારી. એટલે કે હવે બાગેશ્વર ધામમાં ભજન, ભોજન અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળશે. આ કાર્ય માટે હું ધીરેન્દ્ર શાસ્ત્રીને અભિનંદન આપું છું.