પહલગામ હુમલાના આતંકવાદીઓ વિશે માહિતી આપનારને પોલીસ આપશે રૂ.20 લાખનું ઇનામ

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજી બાજુ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાની પોલીસે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનારાઓ માટે મોટા ઈનામની જાહેરાત કરી છે.
#PahalgamTerroristAttack | Anantnag Police has announced a cash reward of Rs 20 lakh for any information leading to the neutralisation of terrorists involved in this cowardly attack. pic.twitter.com/q1goV0Ckd7
— ANI (@ANI) April 23, 2025
20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત
અનંતનાગ પોલીસે એક પોસ્ટર જારી કરીને કહ્યું છે કે, મંગળવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના પહેલગામના બૈસરન ખાતે પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ખતમ કરવા માટે મદદ કરતી કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
તમે અહીં માહિતી આપી શકો છો
- 9596777666 – SSP અનંતનાગ
- 9596777669 – PCR અનંતનાગ
- ઈ-મેલ: dpoanantnag-jk@nic.in