ખેડબ્રહ્મા તાલુકામાં મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બંધ, લોકોને હાલાકી

Sabarkantha News: સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની લાલિયાવાડી જોવા મળી હતી. ખેડબ્રહ્માના વરતોલ ગામના આયુષ્માન મંદિરમાં તાળા લાગ્યા હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે. ખેડબ્રહ્મા તાલુકામાં અંતરીયાળ વિસ્તારના મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બંધ રહેતાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. ખેડવા પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા રહેતાં આરોગ્ય વિભાગને રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ વીડિયો બનાવીને સ્થાનિક જાગૃત નાગરિકે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટની શાંતિ હોસ્પિટલના CCTVના એક્સેસ મેડિકલ સ્ટોરના હાથમાં, જવાબદાર કોણ ?
આરોગ્ય વિભાગની લાલિયાવાડી
તાલુકા આરોગ્ય અધિકારીએ વીડિયો જોઈને સ્ટાફ પાસે ખુલાસો માંગ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાઈબલ વિસ્તાર ખેડબ્રહ્મા, પોશીનાં, વિજયનગર, તાલુકામાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે લોકોમાં રોષ છે. અંતરીયાળ વિસ્તારમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓને લીલાલેર છે.